Saturday, September 10, 2011

તારી આંખો માં આજ ખોવાઈ જવાનું મન થાય છે,

તારી પલકો માં આજે રહી જવાનું મન થાય છે,

નીકળ્યું જો આંસુ તારા નયન માંથી.

તો આજ સરિતા બની જવાનું મન થાય છે,

રોજ મારું છું હું તારી એક જલક ની પ્યાસ માં,


કિન્તુ તારા એક સ્મિત માં આજ ફરી મરી જવાનું મન થાય છે,

નથી હું કવિ છતા આજ તારા પર કવિતા લખવાનું મન થાય છે,

આજ ફરી તારી આંખો માં ખોવાઈ જવાનું મન થાય છે.

No comments:

Post a Comment